સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ – મોરબી 4/7/2026

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયા ધામ – જશવંતપુર)દ્વારા શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે. મોરબી શહેરમાં સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા.4/7/2026 ના રોજ લેન્ડમાર્ક પ્લાઝા, ત્રીજો માળ, સમયના ગેટની બાજુમાં મોરબી ખાતે કરવામાં આવેલ હતું.

આ પ્રોગ્રામમાં 361 લોકોએ લાભ લીધો હતો.

રસીકરણ પ્રોગ્રામ ની સાથે ફ્રી હિમોગ્લોબીન પણ ચેક કરી આપવામાં આવ્યું હતું. આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી શહેર સમૂહ લગ્ન સમિતિના કાર્યકરો, ઉમિયાધામ રાજકોટ ના ધ્રુવીબેન માકડીયા , નૂતનબેન સુરેજા, જાગૃતિબેન લાડાણી,અરુણાબેન દુદાણી, તેમજ સુરેશભાઈ અઘેરા અને સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી.