
સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામ – મોરબી
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન- રાજકોટ (ઉમિયા ધામ – જશવંતપુર)દ્વારા શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા કુંડારિયા કેન્સર પ્રિવેન્સ ફાઉન્ડેશનના* સંયુક્ત ઉપક્રમે. મોરબી શહેરમાં સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન તા. 2/5/2026 ના રોજ લેન્ડમાર્ક પ્લાઝા, ત્રીજો માળ, સમયના ગેટની બાજુમાં મોરબી ખાતે કરવામાં આવેલ હતું.
આ પ્રોગ્રામમાં 291 લોકોએ લાભ લીધો હતો.
આ રસીકરણ પ્રોગ્રામ રાહત દરે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી શહેર સમૂહ લગ્ન સમિતિના કાર્યકરો, ઉમિયાધામ રાજકોટ ના ધ્રુવીબેન માકડીયા , મધુબેન બેરા, ગીતાબેન વાછાણી તેમજ પિયુષભાઈ કણસાગરા અને સમગ્ર ટીમે જેહમત ઉઠાવી હતી.

